Skip to main content

Life lessons 01

મુશ્કેલી ના સમય માં પૈસા સિવાય કોઈ નો સહારો હોતો નથી એટલે જીવન માં ક્યારેય પણ આર્થિક સંકળામણ આવે ત્યારે જુની વાતો યાદ કર્યા વગર અને કોઈ ના ભરોસે બેસી રહ્યા વગર જેટલા જલ્દી પૈસા કમાવા માટે ના હથિયાર ઉપાડશો એટલા જલ્દી મુશ્કેલ સમય માં થી બહાર નીકળી શકશો.

સગાવહાલા મિત્રો બધા આશ્વાસન અને સલાહો  આપશે એ ખાલી સાંભળવું ગમશે બાકી એના થી મુશ્કેલી નો અંત નહિ આવે , ભગવાન ના સહારે જશો તો પણ કર્મ તો કરવું જ પડશે હા એક જાત ની માનસિક શાંતિ રહેશે બાકી ફક્ત પૂજા પાઠ, કર્મ કાંડ કે ધર્મસ્થાનો ના ચક્કર કાપવા થી પણ એમાં થી બહાર નીકળી ના શકાય

કોઈ કદાચ થોડી ઘણી  આર્થિક મદદ કરશે તો પણ એ ક્ષણિક રાહત હશે બાકી પેહલા જેવી આર્થિક પરિસ્થિતિ પર પહોંચવા માટે તો કમાવા સિવાય કોઈ ઉપાય નથી.

અનિલ અંબાણી અને અમિતાભ બચ્ચન જેવા લોકો ના મિત્રો અને સગાવહાલા પણ  આર્થિક સંકડામણ વખતે એમના ફોન ઉપાડતા બંધ થઇ જતા હોય તો આપણા જેવા સામાન્ય માણસ માટે તો સગાવહાલા ના ખભે આપણી લાશ જ બહાર નીકળે એટલે આવી પરિસ્થિતિ આવે તો સામાજિક જીવન ના વેવલા વેળા બંધ કરી ને એક જ ધ્યેય કે નીતિ થી પૈસા ક્યાં કમાઈ શકાશે એમાં જ ધ્યાન આપવું બાકી ઘર ના બધા સભ્યો ભેગા બેસી ને રડ્યા કરવા થી પણ એનો ઉકેલ નહિ આવે.

લોકો હંમેશા ફરિયાદ કરતા હોય છે કે અમારા મુશ્કેલ સમય માં કોઈ કામ ના આવ્યું કોઈ કામ આવવા નું પણ નથી કારણ કે  બધા ની ખુદ ની જરૂરિયાતો અને જલસા કરવા ની ડિઝાયર  અને ભવિષ્ય ની અનિશ્ચિતતાઓ ની બીક એટલી છે કે કોઈ મદદ કરવા આગળ નથી આવવા નું.

કોઈ ને આર્થિક મદદ કરવી હોય તો આપણે ખમી શકીયે એટલી જ મદદ કરવી કારણ કે એનું કઈ તરત પાટે નથી ચડી જવા નું કે એ ઈચ્છતો  હોવા છતાં તમારા પૈસા પાછા આપી શકશે

પોતે મોંઘી ગાડીઓ માં ફરતા હોય  અને પૈસા તો હાથ નો મેલ છે અને જન્મ્યા ત્યારે બાળોતિયાં માં ખિસ્સા નોહતા અને મરશો ત્યારે કફન માં પણ  ખિસ્સા નહિ હોય એવી વાતો કરતા ધર્મગુરુઓ થી દૂર રેહવું કારણ કે ભગવાન ને  ધૂપ દિવા કરવા માટે અગરબત્તી લેવા જશો તો પણ કોઈ મફત નહિ આપે.

પૈસા સર્વસ્વ નથી પણ જીવન નિર્વાહ માટે પૈસા ખુબ જરૂરી છે બાકી તો સામાજિક દુઃખો કે શારીરિક બીમારીઓ ગમે તેને આવી શકે છે ગરીબો ને નથી આવતી એવું નથી એટલે એવા સમયે  સાઇકલ પર બેઠા બેઠા રડવું એ કરતા મર્સીડીઝ માં બેઠા બેઠા રડવું વધુ સારું.

પૈસા અનિવાર્ય છે.
આપણું ઘર આપણે જ ચલાવવાનું છે.
હંમેશા સીધા રસ્તે સત્કર્મ થી જ પ્રગતિ થાય છે , એ વાત લખી લેવી.

#dwarkadhishpandaji  #lifelesson

Comments

Popular posts from this blog

Temple Darshan Slok

बड़े बुजुर्ग कहते हैं कि जब भी किसी मंदिर में दर्शन के लिए जाएं तो दर्शन करने के बाद बाहर आकर मंदिर की पेडी या ऑटले पर थोड़ी देर बैठते हैं।  क्या आप जानते हैं इस परंपरा का क्या कारण है? आजकल तो लोग मंदिर की पैड़ी पर बैठकर अपने घर की व्यापार की राजनीति की चर्चा करते हैं परंतु यह प्राचीन परंपरा एक विशेष उद्देश्य के लिए बनाई गई।  वास्तव में मंदिर की पैड़ी पर बैठ कर के हमें एक श्लोक बोलना चाहिए।  यह श्लोक आजकल के लोग भूल गए हैं। आप इस श्लोक को सुनें और आने वाली पीढ़ी को भी इसे बताएं।  यह श्लोक इस प्रकार है –  अनायासेन मरणम्, बिना देन्येन जीवनम्। देहान्त तव सानिध्यम्,  देहि मे परमेश्वरम्।। इस श्लोक का अर्थ है :  ●अनायासेन मरणम्... अर्थात् बिना तकलीफ के हमारी मृत्यु हो और हम कभी भी बीमार होकर बिस्तर पर पड़े पड़े, कष्ट उठाकर मृत्यु को प्राप्त ना हो चलते फिरते ही हमारे प्राण निकल जाएं। ● बिना देन्येन जीवनम्... अर्थात् परवशता का जीवन ना हो मतलब हमें कभी किसी के सहारे ना पड़े रहना पड़े। जैसे कि लकवा हो जाने पर व्यक्ति दूसरे पर आश्रित हो जाता है वैसे परवश या बेबस...

बहुत सुंदर कथा  हनुमान जी की Hanuman

बहुत सुंदर कथा  हनुमान जी की F/g+/t @ Dwarkadhish pandaji एक साधु महाराज श्री रामायण कथा सुना रहे थे।  लोग आते और आनंद विभोर होकर जाते। साधु महाराज का नियम था रोज कथा शुरू  करने से पहले "आइए हनुमंत ...

पिता का स्वरुप shiv ji

  पिता का स्वरुप  एक बार गणेश जी ने भगवान शिव जी से कहा, पिता जी ! आप यह चिता भस्म लगा कर मुण्डमाला धारण कर अच्छे नहीं लगते, मेरी माता गौरी अपूर्व सुन्दरी औऱ आप उनके साथ इस भयंकर रूप में ! पिता जी ! आप एक बार कृपा कर के अपने सुन्दर रूप में माता के सम्मुख आयें, जिससे हम आपका असली स्वरूप देख सकें ! भगवान शिव जी मुस्कुराये औऱ गणेश की बात मान ली ! कुछ समय बाद जब शिव जी स्नान कर के लौटे तो उनके शरीर पर भस्म नहीं थी … बिखरी जटाएँ सँवरी हुईं मुण्डमाला उतरी हुई थी ! 🚩🙏🏻द्वारकाधीश तीर्थपुरोहित   राजीव भट्ट  8511028585 🙏🏻🚩 https://whatsapp.com/channel/0029Va5Nd51IiRp27Th9V33D 🌹🙏🏻 G/F/in/t @ Dwarkadhish Pandaji Watsapp:~ 8511028585🙏🏻🌹 सभी देवी-देवता, यक्ष, गन्धर्व, शिवगण उन्हें अपलक देखते रह गये, वो ऐसा रूप था कि मोहिनी अवतार रूप भी फीका पड़ जाए ! भगवान शिव ने अपना यह रूप कभी प्रकट नहीं किया था ! शिव जी का ऐसा अतुलनीय रूप कि करोड़ों कामदेव को भी मलिन कर रहा था ! गणेश अपने पिता की इस मनमोहक छवि को देख कर स्तब्ध रह गये मस्तक झुका कर बोले मुझे क्षमा करें पिता जी !...